62 ની ઉંમર મા પણ કુવારા છે ટીવી ના ‘શક્તિમાન’, આ કારણે ન કર્યા અત્યાર સુધી લગ્ન…
‘શક્તિમાન’ બની ને ઘર માં ફેમસ થયેલા મુકેશ ખન્ના ટીવી અને ફિલ્મ બંને જગ્યા એ પોતાના અભિનય દર્શાવી ચૂક્યા છે. મહાભારત માં ‘ ભીષ્મપિતામહ’ ના રોલ માં પણ એમને ઘણું પસંદ કરવા માં આવ્યું હતું. 12 જુન 1958 માં જન્મેલા મુકેશ ખન્ના 62 વર્ષ ના થઇ ગયા છે.
એમનું એક્ટિંગ કરિયર ઘણું સારું રહ્યું. એમણે જીવન માં નામ અને પૈસા બંને કમાવ્યા. એ જોવા માં પણ હેન્ડસમ છે. પરંતુ એમણે આજ સુધી લગ્ન નથી કર્યા. આવાં માં ઘણાં ફેંસ ના મન માં આ સવાલ જરૂર થાય છે કે આખરે કયા કારણ થી એમણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા.
વાસ્તવ માં પોતાના લગ્ન ને લઈ ને મુકેશ એક ઇન્ટરવ્યૂ માં ખુલી ને વાત કરી હતી. એમણે કીધું હતું કે ‘લગ્ન એ લોકો ના થાય છે જેના ભાગ્ય માં લખેલા હોય છે. મારું વધારે પડતા બોલવા ની ટેવ ના કારણે ઘણા વિવાદ થયા.’ એ જમાના માં બધા પત્રકારો ના પ્રશ્નો એ રહેતો હતો ‘મુકેશ ખન્ના એ લગ્ન કર્યા છે કે નહીં?’
કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે મુકેશ લગ્ન એટલા માટે નથી કર્યા કારણ કે એમને મહાભારત માં ભીષ્મ પિતામહ નો રોલ કર્યો હતો. એના વિશે જ્યારે મુકેશ થી પૂછવા માં આવ્યું તો એમણે કીધું કે – હ હું ભીષ્મ પિતામહ ના આદર્શો ને માન આપું છું, પરંતુ એટલો પણ મહાન નથી કે ભીષ્મપિતામહ બની જઉ. લગ્ન થી મને કોઈ આપત્તિ નથી. એનો વિરોધ માં નથી. એવું નથી કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે ક્યારેય લગ્ન નહીં કરું. પરંતુ મારું એવું માનવું છે કે લગ્ન એના થાય છે જેના ભાગ્ય માં લખેલા હોય છે.
એ આગળ કહે છે – લગ્ન બે આત્માઓ નું મિલન હોય છે. આ જોડી ઉપરવાળા લખી ને મોકલે છે. બે લોકો પોત પોતાના ભાગ્ય ના કારણે એકબીજા થી મળે છે. મારા લગ્ન થવા હશે તો થઈ જશે. પરંતુ હવે મારા માટે કોઈ છોકરી નો જન્મ નથી થવાનો અને એમ પણ લગ્ન મારુ પર્સનલ મેટર છે. મારી કોઈ પત્ની નથી, એટલા માટે આ કોન્ટ્રોવર્સી નો અહીંયા જ અંત કરીએ.
બતાવી દઇએ કે મુકેશ ખન્ના હંમેશા પોતાના બેબાક નિવેદનો ને લઈ ને ચર્ચા માં રહે છે. એ દિલ થી બોલે છે. પાછલા કેટલાક સમય માં ઘણા સ્ટાર્સ ને ફટકાર પણ લગાવી ચૂક્યા છે. હવે કેટલાક સમય પહેલા ની વાત લઈ લો. કપિલ શર્મા ના શો પર ‘મહાભારત’ ની સંપૂર્ણ કાસ્ટ આવી હતી, પરંતુ મુકેશ ખન્ના નહોતા આવ્યા. એમણે શો ને કામ વગર નું અને બેકાર બતાવ્યુ